if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://mail.swargarohan.com/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

सा ब्रह्मेति होवाच ब्रह्मणो वा एतद्विजये ।
महीयध्वमिति ततो हैव विदाञ्चकार ब्रह्मेति ॥१॥

sa brahmeti hovaca brahmano va etad-vijaye
mahiyadhvam iti tato haiva vidam ch akara brahmeti.

કહ્યું ઉમાએ યક્ષ નહીં તે પરમાત્મા પ્રત્યક્ષ હતા,
યુદ્ધ તમે જીત્યા તેનાથી છતાં ગર્વમાં મત્ત હતા;
ઉતારવા અભિમાન તમારું તેથી પ્રભુ આવેલ હતા,
ત્યારે ઈન્દ્રે માની લીધું ખરેખરે એ બ્રહ્મ હતા ! ॥૧॥

અર્થઃ

સા - એ દેવીએ
હ ઉવાચ - સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું કે
બ્રહ્મ ઇતિ - એ તો પરમાત્મા પોતે જ છે.
બ્રહ્મણઃ વૈ - એ પરમાત્મા જ
એતદ્વિજયે - એ વિજયમાં
મહીયધ્વમ્ ઇતિ - તમે સૌએ તમારો મહિમા માની લીધેલો.
તતઃ એવ - એ કથનથી જ
હ - નિશ્ચયાત્મક રીતે
વિદાંચકાર - (ઇન્દ્રે) સમજી લીધું (કે)
બ્રહ્મ ઇતિ - યક્ષ બ્રહ્મ છે.

ભાવાર્થઃ

ઇન્દ્રની પ્રાર્થના પ્રત્યુત્તરરૂપે ભગવતી બ્રહ્મજ્ઞાન સ્વરૂપ ઉમાદેવીએ જણાવ્યું કે પરમાત્મા પોતે જ એ યક્ષના સ્વરૂપે પ્રકટ બનેલા. અસુરો સાથેના યુદ્ધમાં એમની શક્તિ તથા કૃપાથી જ તમે વિજયી બનેલા. પરંતુ એમના મહિમાને શ્રદ્ધાભક્તિપૂર્વક સમજીને એ વિજયનો યશ એમને આપવાને બદલે, મિથ્યાભિમાનથી પ્રેરાઇને એ વિજયને તમે તમારો માની બેઠા. એમના મહિમાને તમે અજ્ઞાનને લીધે તમારો જાણ્યો. એમને લીધે તો તમારું ને સમસ્ત સંસારનું અસ્તિત્વ છે, અને એમને લીધે જ સૌ કોઇ કાર્ય કરી શકે છે. છતાં તમે એ હકીકતને ભૂલી ગયા. એટલે તમને એ મિથ્યાભિમાનમાંથી મુક્ત કરવા માટે એમણે યક્ષનું રૂપ લઇને તમારી અલ્પતાનું ભાન કરાવ્યું. હવે એમના મહિમાને જાણી લો.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.