મારી વહાલભરી વાંસળીને છાતીસરસી ચાંપીને
અધરોષ્ઠ પર અડાડીને
એનો આસ્વાદ લેતાં
તમે ના જાણો કેટલા બધા વખતથી, અનંતકાળથી,
પૃથ્વી, પાતાળ, પર્વત, સરિતા, સમદર તથા ગગનમાં ફર્યા કરો છો
સ્વયં મુગ્ધ મસ્ત બનો છો ને મને કરો છો.
તમારા સુરીલા સ્વરોએ મને સંતૃપ્તિ ધરી છે,
ને તમારી કળાને કૃતાર્થ કરી છે.
દર્શકો તથા શ્રોતાઓને પણ તેથી તૃપ્તિ મળી છે.
મને એટલો સંતોષ છે કે મને જ નહિ,
બીજા અનેકને એથી જીવનની ધન્યતા વરી છે.
વાંસળી ભલે સમય સમય પર બદલાતી રહી,
એને તમારી સદાની સંનિધિ જ નહીં, છત્રછાયા મળી છે.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)

