२६. भुवनज्ञानं सूर्ये संयमात् ।
26. bhuvana jnanam surya samyamat
પુરાણોમાં ચૌદ પ્રકારના લોકનું વર્ણન કરેલું છે. તેમાંથી એક પૃથ્વી કે ભૂલોક કહેવાય છે. એ બધા જ લોકલોકાંતરનું જ્ઞાન સૂર્યની અંદર સંયમ કરવાથી થઇ શકે છે.
*
२७. चन्द्रे ताराव्यूहज्ञानम् ।
27. chandra tara vyuha jnanam
ચંદ્રમાની અંદર સંયમ કરવાથી તારાના વ્યૂહનું અથવા તારામંડળના સ્થાનનું પરિપૂર્ણ જ્ઞાન થઇ જાય છે.
*
२८. ध्रुवे तद्गतिज्ञानम् ।
28. dhurve tad gati jnanam
ધ્રુવ તારો અચલ ગણાય છે. બીજા બધા જ તારાની ગતિનો તેની સાથે ગાઢ સંબંધ છે. તેથી ધ્રુવતારામાં સંયમ કરવાથી બધા જ તારાની ગતિનું જ્ઞાન થઇ શકે છે. કયો તારો કયા નક્ષત્ર કે કઇ રાશિ પર કયે વખતે આવશે તેની માહિતી મળી રહે છે.
*
२९. नाभिचक्रे कायव्यूहज्ञानम् ।
29. nabhi chakra kaya vyuha jnanam
નાભિચક્રમાં શરીરની સઘળીયે નાડી એકત્ર થઇને રહેલી છે. તે ચક્રમાં સંયમ કરવાથી શરીરના વ્યૂહનું જ્ઞાન થઇ જાય છે. શરીરની અંદરની વ્યવસ્થાનું યોગીને ભાન થાય છે.
*
३०. कण्ठकूपे क्षुत्पिपासानिवृत्तिः ।
30. kantha kupe ksut pipasa nivrittih
કંઠકૂપમાં સંયમ કરવાથી ભૂખ ને તરસની નિવૃત્તિ થઇ જાય છે.
જીભની નીચે એક તંતુ છે. તેને જીહ્વામૂળ કહે છે. તેની નીચે કંઠ ને નીચે ખાડા જેવું છે. તે કંઠકૂપની સાથે પ્રાણવાયુ અથડાયા કરે છે. તેથી ભૂખ તરસ લાગે છે. તેમાં સંયમ કરવાથી ભૂખ તરસ મટી જાય છે.

