વૃદ્ધાવસ્થાએ પહોંચેલા પ્રવાસીને કોઈએ પૂછ્યું :
પ્રભુ આટલો ક્રૂર કેમ છે ?
તેને આવી દુઃખમય દુનિયા કેમ કરવી પડી ?
પ્રવાસીએ ઉત્તર આપ્યો :
માનવે જે દુઃખની દુનિયા ઉભી કરી છે, દુનિયાને જે નરકયાતનાથી ભરી છે,
તેને તે દૂર કરે, સુધારે, તો ઈશ્વરની દુનિયા તો સુખભરી જ છે.
તેને દોષ દેવાનું કોઈ વિશેષ કારણ નથી.
- શ્રી યોગેશ્વરજી

