Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મન ભજી લે મોહન પ્યારાને,
પ્યારાને મોરલીવાળાને ... મન ભજી લે.

સાત સમંદર તરી તરી આવ્યો,
ડૂબી મર મત આરા મેં. ... મન ભજી લે.

મનુષા દેહ મળેલો છૂટવા,
શું ભૂલ્યો ભમે ઘરબારામેં ? ... મન ભજી લે.

મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
હરિ ભજી લે યે વારામેં. ... મન ભજી લે.

- મીરાંબાઈ

Add comment

Submit