Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

महाराजा दशरथ राम के राज्याभिषेक की बात वशिष्ठ को बताते है 
 
कहइ भुआलु सुनिअ मुनिनायक । भए राम सब बिधि सब लायक ॥
सेवक सचिव सकल पुरबासी । जे हमारे अरि मित्र उदासी ॥१॥
 
सबहि रामु प्रिय जेहि बिधि मोही । प्रभु असीस जनु तनु धरि सोही ॥
बिप्र सहित परिवार गोसाईं । करहिं छोहु सब रौरिहि नाई ॥२॥
 
जे गुर चरन रेनु सिर धरहीं । ते जनु सकल बिभव बस करहीं ॥
मोहि सम यहु अनुभयउ न दूजें । सबु पायउँ रज पावनि पूजें ॥३॥
 
अब अभिलाषु एकु मन मोरें । पूजहि नाथ अनुग्रह तोरें ॥
मुनि प्रसन्न लखि सहज सनेहू । कहेउ नरेस रजायसु देहू ॥४॥
 
(दोहा)  
राजन राउर नामु जसु सब अभिमत दातार ।
फल अनुगामी महिप मनि मन अभिलाषु तुम्हार ॥ ३ ॥

*
MP3 Audio

*
 
દશરથ રામના રાજ્યાભિષેક માટેનો વિચાર વશિષ્ઠ પાસે રજૂ કરે છે
 
મુનિવર, સુણો યોગ્ય છે રામ સર્વપ્રકારે, દાસ તમામ
મંત્રી પુરજન દુશ્મન મીત રામનાં સદા ગાતા ગીત.
 
રામને બધા પ્રિય માને, મારા સમાન નિજ જાણે,
આશીર્વાદ આપનો એ, પ્રિયતમ છે સર્વતણા તે.
 
ગુરુપદરજ જે ધારે શીશ બનતા તે વૈભવના ઇશ,
સ્વાનુભવ મળ્યો મુજને એ પામી પૂજી પદરજને.
 
પદરજથી છે સર્વ મળ્યું, દુર્લભ કાંઇ નથી રહ્યું.
હવે એક મનમાં છે આશ, ફળશે અનુગ્રહ પામી ખાસ;
વર્ષા કરો અનુગ્રહની જીવન રહે કૃતાર્થ બની.
 
(દોહરો)   
મુનિ બોલ્યા તમ નામયશ છે અભિમત દાતાર;
અનુસરે તમારા સદા ફળને રાજ, વિચાર.